દિયોદર માર્કેટ સમિતિ ની ચૂંટણી 14 ઓક્ટોબર ના રોજ યોજાશે

દિયોદર,

બનાસકાંઠા જિલ્લા ના દિયોદર માર્કેટ સમિતિ ના વર્તમાન કમિટી ની મુદત પૂર્ણતા ના આરે હોઈ ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર ના નિયામક દ્વારા ચૂંટણી યોજવા અંગે નું જાહેરનામું બહાર પાડેલ છે. તાજેતર માં સહકારી કાયદા માં થયેલા ફેરફાર અંતગ્રત દિયોદર માર્કેટ સમિતિ ના ખેડૂત વિભાગ માં આઠ સદસ્યો ની ચૂંટણી યોજાતી જેના બદલે દસ સદસ્યો કરાયા છે. જ્યારે વેપારી વિભાગ માં ચાર અને સહકારી ખરીદ વેચાણ ના બે પ્રતિનિધિ ની જગ્યા ઓ યથાવત રખાઈ છે દિયોદર માર્કેટ સમિતિ ના કુલ 16 ડિરેક્ટરો ની ચૂંટણી યોજવાની છે.

જેમાં તા,3/10/2020 ના રોજ દિયોદર માર્કેટ સમિતિ ના કાર્યાલય માં ફોર્મ ભરી શકાશે તથા તા,4 ના રોજ ફોર્મ ની ચકાસણી થશે તા,7/10/2020 સુધી માં ફોર્મ પરત ખેંચી શકાશે. તા,14/10/2020 ના રોજ મતદાન થશે તા 15 ના રોજ મતગણતરી થશે દિયોદર માર્કેટ સમિતિ માં ખેડૂત વિભાગ માં 10 સદસ્યો ની ચૂંટણી માટે કુલ 1583 મતદારો નોંધાયા છે જ્યારે વેપારી વિભાગ ની 4 સીટો માટે 715 મતદારો છે અને ખરીદ વેચાણ વિભાગ ની 2 સીટ માટે 207 મતદારો નો સમાવેશ થાય છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment